મુખ્ય પૃષ્ઠ

Leave a comment


           

                     લોકગીતો

Leave a comment


RMS

reco0022.jpg

Leave a comment


આદર્શ વિધાર્થી

Leave a comment


આજે દિન પ્રતિદિન સમાજમાં અને લોકોના માનસમા એક એવી માન્તા  પ્રસરી રહી છે

કે આજનો કોલેજીયન પ્રગતિ કરતા પતનના અંધકાર  તરફ વધુ  ધકેલાતો હોય એવુ લાગ્યા કરેછે

ખરેખર  એવુ નથી છતા પણ એક આદર્શ વિધાર્થી એ આવી માન્તાઓ સમાજ  માનસમાંથી

સંપૂણ દુર થાય એવા તમામ પ્રયાત્નો કરવા જોઇએ

આપણે ભણીએ એટલે બધુજ એમા આવી જાય એવુ નથી

શિક્ષણ ની સાથેસાથે જીવન ઘડતર,ચિંતન અને રચનાત્મક વિચારોનો અભિગમ કેળવાય તો જ જ્ઞાન નો અર્થ સાર્થક થયો ગણાય સદગુણો અને શીલ વગરનો વિધાર્થી કદાચ કલાસમાં ફસ્ટ

આવે તો પણ એ શુન્ય જ છે.

આજનો યુવાન કેમ્પસ,કેન્ટીંગ અને મોજ શોખમાં પોતાનો સમય અને પિતાના પૈસા  વેડફી રહ્યો છે.

બાર બાર કલાક મજુરી  કર્યા પછી જે આવક થાય છે એમાથી જ તો આપણી ફી ભરાય છે.

આપણા ફેશનેબલ કપડાની ચમકમા  પિતાના  મહેનતના પરશેવાની સુગંધ ભળેલી હોય છે.

એક આદર્શ વિધાર્થીએ પોતાના લક્ષને હાંસીલ કરવા માટે  એક જબરજ્સ્ત મહત્વકાંક્ષાની તકતી દીમાગમાં કંદારવી પડશે .

જયાથી મળે ત્યાથી જ્ઞાનની ગંગાનુ આચમન કરવુ પડશે.

આજ ના આ ઇન્ટરનેટ યુગમા પણ વાંચન  પ્રત્યેની તીવ્ર ભુખ ઉઘડવીજ જોઇએ

એક આદર્શ વિધાર્થીએ  પોતાના શિક્ષક ને સંપૂણ  સમર્પિત થવુ પડશે.

હમેશા નવુ જ્ઞાન મેળવવાની વિધાર્થીએ  જીજ્ઞાશા જ શિક્ષક ને પોતાનો જ્ઞાન રૂપી ખજાનો લુટાવવાની  ફરજ પાડશે.

જેમ  દ્રોણગુરૂએ વિધાધનનો ચરુ અર્જુન પર ન્યોછાવર કરી દિધો હતો આજના વિધાર્થીએ સંધર્ષની ભઠ્ઠીમાં તપવુ પડશે  અનુભવની એરણ પર ટીપાવુ પડશે.

ત્યારે જ સફળતાની ચાવી તેના હાથમા ચમકતી હશે.

હા…. શરુઆત કદાચ જરા કઠીન હોય શકે   પરંતુ અશક્ય તો બીલકુલ  છે જ નહી

6/9/2012…

Leave a comment


6/9/2012Image

RMS

Leave a comment


રક્ષાબંધન

Leave a comment


    { રાગ ; ખમ્મા વીરાને જાવુ વારણે રે..લોલ }

અષાડ વીતો ને આવી શ્રાવણી પૂનમ  રે…

જાગ્યા  છે  કાંઇ  પિયરીયા કોડ રે..

 આ રક્ષા બાંધુ રે મારા વીર ને રે..લોલ

        વહાલની કરી છે  મે તો  વાવણી રે..લોલ 

                પ્રેમના તે પાણી સિંચા ખુબ રે.. …

આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

ખંતથી ખાતર મે તો છાટ્યુ  રે..લોલ

લાગણીના ઉગ્યા જીણા જીણા છોડ રે..

   આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે..લોલ

                  સ્નેહ નુ સુતર  મે તો કાંત્યુ રે.. લોલ

                 ગુણની તે વાળેલ એમા ગાઠ રે..

                 આ રક્ષા બાંધુ રે મારા વીર ને રે ..લોલ

હેતના મે તો  હિરા જડ્યા રે..લોલ

કર્યા છે કાંઇ કંકુ કેરા છાટણા રે..

આ રક્ષા બાંધુ રે મારા વીર ને રે ..લોલ    

    હરખે ભીંજાણી મારી આંખડી રે..લોલ

               છલક્યા છે. ગંગા,જમના નીર રે.. 

             આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ         

ભઇલા ને હાથે એવી  શોભતી  રે.. ..લોલ.

       આકાશે મેઘ ધનુંષ કેરા રંગ  રે…

           આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

                  પિતાના વ્હાલ થી છલકી રહી રે..લોલ

                  માતાની મમતા ભારોભર   રે….

               આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

ખમ્મા વીર ને લવુ ઓવારણા રે..લોલ

 જુગ જુગ જીવે મારો વીરલો  રે ….

આ રક્ષા બાંધુ રે મારા વીર ને  રે ..લોલ

                              રમેશ  સરવૈયા(ગમ-એ-દિલ )

નારી માગે ન્યાય

3 ટિપ્પણીઓ


આજ ના આ ઇન્ટરનેટ યુગમાં માનવી  ભલે ચંદ્ર કે મંગળ ઉપર વસવાટ કરવાની 

 કોશિસ કરી રહ્યો હોય  પરંતુ રૂઢીચુસ્ત કુરીવાજો અંધશ્રધાઓ અને  ઓવર ધાર્મિકતાની દ્રષ્ટિ  જોઇએ તો હજુ પણ આપણે ૧૮મી સદીમાં જીવી રહ્યા હોય એવુ લાગે છે.

એમાં પણ સ્ત્રીઓના જીવનમાં તો અંધશ્રધાના મુળ એટલા  બધા ઊંડે ઉતરી ગયા છે. કે તેના પ્રશ્નોના ઉકેલ શોધવા ખુબજ મુશ્કેલ છે. ઘણા શાસ્ત્રોમાં નારીને નર્ક ની ખાણ કહી ખુબજ નિંદા કરવામા આવી છે.  

પરંતૂ રામાયણ માંથી સીતાજીના અને મહાભારત માંથી દ્રોપદીના પાત્રોને

બાદકરવામાં આવે તો આ ગ્રંથો માત્ર પ્રાણ વિનાના ખોળીયા જેવા થઈ જશે. 

એમા કોઈ શંકાને સ્થાન નથી ખાસ 

કરીને મનુસ્મુર્તિ જેવા ગ્રંથોએ સ્ત્રીઓના જીવનમાં ખુબજ વિડંબનાઓ પેદા કરી છે. 

પરંતુ ખરેખર તો નારીના જીવન ને બરબાદ કરવામાં મહત્વનો ભાગ તો એક નારી એજ ભજવ્યો છે.

  પછી એ માતા,સાસુ,બહેન,ભાભી,નણંદ,પુત્રી,સખી કે પડોશણ કોઈ પણ હોઈ શકે.એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમાજવા માં ઘણી ભુલ કરી રહી છે.

નારીનુ જીવન બે- અથવા ત્રણ ભાગમાં વહેચાયેલુ હોય છે.

પ્રથમ તબક્કો બાળપણ થી યુવાની સુધી  પિયરીયામાં માતા-પિતા,ભાઈ,બહેન, ભાભી સાથે

બીજો તબક્કો લગ્ન પછી સાસરીયામાં સાસુ-સસરા,જેઠ-જેઠાણી,દિયર-દેરાણી,નણંદ અને પતિ {પરમેશ્વર}  આ બધા ની સાથે એક નવા જ જીવનની શરુઆત કરવી પડતી હોય છે.

 અને ત્રીજો તબક્કો જે  ઘણી બધી ભાગ્યશાળી નારીઓના જીવનમાં નથી આવતો એ છે.  પોતાના વૈધવ્યનો પોતાના પતિ પહેલા જે સ્ત્રી મ્રુત્યુ પામે છે. તેના માટે તો જીવન ખરેખર ધન્ય બની જાય છે.  આમ તો  દરેક સ્ત્રીની અંતિમ ઈચ્છા એજ હોય છે. કે પોતાના પતિ ની હયાતી માંજ આ દુનિયા માંથી વિદાય લે.

પરંતુ કેટલીય સ્ત્રીઓના જીવન નો ત્રીજો તબક્કો શરુ થાય છે. એના વૈધવ્ય ની સાથે.

જે સ્ત્રી વિધવા થાય છે. એની જીન્દગીની એક એક  ઘડી મહેણા- ટૉણા અને નિષ્ઠુર સમાજના કુરીવાજો  રૂપી ઠોકરો થી ગુજરતી હોય છે.  કોઈ ના પાણી ભરી કેટલાય ઘરના કામ કરી વિધવા માતા પોતાના એકના એક દિકરાને  ઉછેરતી હોય છે. અને ૨૦  વર્ષ પછી જયારે  પુત્રના લગ્ન સમયે એ વિધવા માતાને ઘરના, એક ખુણા મા  બેસી માત્રદ્રષ્ટા થઈ આ બધુ જોયા કરવાનુ   કારણ…..  એ તો વિધવા છે. અને વિધવા થી તો કોઈ સારૂ કાર્ય થાય જ નહી અરે લગ્ન ની ચીજ વસ્તુઓને તો હાથ પણ ન અડાડાય 

હા..કોઈ કજીયાખોર, કૂસંસ્કારી કે ચારિત્રહીન સ્ત્રીથી આ બધૂ થઈ શકે તેના માટે  સમાજ ને કોઈ વાંધો નથી

વિધવા તો સામે મળે તો પણ અપશૂકન થાય  આપણે વિધવા માટે  ગં.સ્વ એટલેકે ગંગા સ્વરૂપ એવો શબ્દ લખી છીએ  ગંગા જેવુ પવિત્ર સ્વરૂપ અને પાછા અપશૂકાન કેવૂ લોકોએ ગોઠવી દીધૂ છે. એજ સમજાતુ નથી 

ભલે તમે એને બીજા બધા કામમાં અડ્ધુત કરો પરંતુ પોતાના દિકરા ના લગ્નમાં તો સાથે રાખો જ એ વિધવા થઈ છે. એમા એનો શૂં અપરાધ… ?

કુદરતે  તો માત્ર તેનો પતિ છીનવી લીધો છે. પરંતુ  આપણા કૂર સમાજે તો એ અભગણી પાસે કશૂંજ રહેવા દીધૂ નથી એની સેથીનુ  સિંદૂર, લલાટનો ચાંદલો, આંખનુ કાજલ , નાકની નથડી, ગળાનુ મંગળ સુત્ર, હાથની ચુડલી, પગના ઝાંઝર  અરે એથી વધારે કહુ તો હોઠની હસી,હદયની

લાગણીઓ,અંતરના અબળખા ,ચહેરાનુ નૂર  

જેમ જંગલમાં કોઈ પાંદડા ડાળી ઓ વિનાનુ  સુકુ વૂક્ષ  ઉભૂ હોય.  

આપણે આવી વિધવાઓના વન તો ઉભા કરી શકીએ પરંતુ એના પ્રશ્રનો ની થોડી ગૂંચ ઉકેલી એને ન્યાય  નથી આપી શકતા   હા.. એટલુ જરૂર કહીએ કે બિચારી પૂર્વના  કર્મ ભોગવી રહી છે. 

આ બધૂ લુટ્યા પછી પણ ડગલે ને પગલે પવિત્રતા તો પુરવાર કરવાની જ

ક્યારેય એવુ બન્યુ છે. કે કોઈ પુરૂષે પોતાની પવિત્રતાના પુરાવા આપવા પડયા હોય

      (અને જો આપવા પડે તો શુ થાય જરા વિચાર જો )

અગ્ની પરીક્ષા તો સીતાની જ લેવાતી હોય છે. 

વસ્ત્ર હરણ તો દ્રોપદીના જ થતા હોય છે.

નારી શકિત એ હવે જાગવા નો સમય આવી ગયો છે. ક્યા સુધી આમ મુંગા મોઢે અત્યાચારો સહન કરતા રહેશો. ઉઠો જાગો અને રૂઢી ચુસ્ત સમાજે તમારા ઉપર લાદી દીધેલ વ્યર્થ બંધનો  ત્યાગો  

આતો વિધવા નો માત્ર એક જ પ્રશ્ર ….. આવા તો અનેક પ્રશ્રનો નારીના જીવન સાથૅ જબરજસ્તી થી જડી દેવામા આવ્યા છે.

હવે સવાલ  એ છે. કે આ બધા પ્રશ્ર્નો આપણી સંસ્કુતિ  સમજી

હ્જુ ફુલવા ફાલવા દેવા છે……?  

સમાજના નવ યુવકો  અને પુરો સમાજ શાંતિ થી વિચારે  અને યથા યોગ્ય સુધારા કરે એવી નમ્ર આજીજી સાથે …. આભાર 

                                                                                    (રમેશ સરવૈયા) 

 

 

 

 

 

 

 

વર્ણવ્યવસ્થા

1 ટીકા


વર્ણવ્યવસ્થા

કુંપળનો સહેજ હડસેલો લાગ્યો સુકા પર્ણને,

સદીઓથી જે કેદ છે, કોઈ તો ભેદો આવરણને !

ખુબ જ કથાઓ, હોમ–હવન–યજ્ઞ કર્યાં,

ધર્મના નામે ખંખેરી ખુબ તરભાણાં ભર્યાં.

ક્યાં સુધી છાબડે ઢાંકશો સત્યના અવતરણને !

જો સમજાય તો અધોગતીનું મુળ છે, આ વર્ણવ્યવસ્થા

ઉંચનીચના ભેદ, અસ્પૃશ્યતા, આભડછેટ છે એની વ્યથા

હવે તો કોઈક બેસાડો એક પાટલે ચારે વર્ણને !

એકલવ્યનો તો માત્ર અંગુઠો જ કપાયો,

ધર્મસ્થાપના નીમીત્તે નીર્દોષ શંબુક હણાયો;

ક્યાં સુધી આમને સામને રાખીશું અર્જુન કર્ણને !

ચારે વર્ણના જાતી, જ્ઞાતી, કુળનાં તરુવર કર્યાં,

સંપ્રદાયના સાગરો કરી, વાડાનાં સરોવરો ભર્યાં;

હવે કંઠી–મુક્ત કરો, ‘ગમ-એ-દીલ’ ઘેટાનાં આ ધણને !

પ્રુફવાચન સૌજન્યઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

દર્પણના દિલમાં

Leave a comment


 

રોજ દર્પણના દિલમા ચેહેરો બદલાય છે.

સુરજ ઉગે  કે ચાંદો પૃથ્વીનો પહેરો બદલાય છે.

દરીયાને કેમ દોશ દઈએ સુનામી તણો

એતો ક્યારેક ક્યારેક એની લહેરો બદલાય છે.

કદી શરણાઈના સુર કદી મરસીયાના માતમ

આંગણા તો એના એજ અવસરો બદલાયછે.

ખોલો છાપુ તો એજ સમાચારો,લુંટ હિંસા ને અત્યાચારો

રોજ ઘટે છે ઘટનાઓ એજ, માત્ર  શહેરો બદલાય છે.

ખબર નથી શ્વાસ અને, જીંદગીને, છે  શું  સબંધ

સઘળુ  વિશ્વ  એજ, ગમ-એ-દિલ  શરીરો બદલાય છે.

અત્રિ ઋષિ

Leave a comment


ATRI RUSHI                                                   (ફોટો વેબ પરથી સાભાર લીધેલ છે)

               સપ્તઋષિમાંના એકમનાય છે’

              એમના પત્નિનુ નામ અનસુયા

            દતાત્રેય અને દુર્વાસા  એમના બે પુત્રો

અગસ્ત્ય મુનિ

Leave a comment


                     

                               (ફોટો વેબ પરથી સાભાર લીધેલ છે)

         અગસ્ત્ય મુનિ વરૂણ અને ઉર્વશી ના પુત્ર

          એમનાપત્નીનુ નામ લોપામુદ્રા

         વનવાસ દરમ્યાન શ્રી રામ

         પણ એમના આશ્રમમારહ્યા હતા.

         એમના નામ નો તારો પણ છે

         જે જાન્યુઆરીથી મે મહિના સુધી

         રાતના આકાશ મા દેખાય છે.

શ્રી કૃષ્ણ ના જીવન ના બે વિરોધાભાસ પ્રસંગો

1 ટીકા


 

કળવો   તને   ખુબ   કઠીન   છે   કાળીયા

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

વૃનદાવન મા  તો  મટકી  ફોડી  માખણ  લુટી  ખાધુ

દુર્યોધન ના મેવા ત્યાગી,કેમ વિદુર ઘેર ભોજન સાદુ

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

યમુના કાંઠે કદમ ડાળે,ગોપીઓના વસ્ત્ર હરતો

કૃરુ સભામા તુજ પાછો પાંચાલી ના ચીર પુરતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

લીધી મથુરા વાટ , ત્યારે આંખુ ગોકુળ ઘેલુ કરતો

છોડી જ્યારે દ્વ્રરીકા કેમ એકલો ચુપચાપ નિકળતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

શાંતિ દુત બની ધ્રુતને સમજાવવા હસ્તિનાપુર આવતો

યુધ્ધ એજ કલ્યાણ કહી,તુજ અર્જુન ને ગાંડીવ ધરાવતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

વાસળીના સુરને રાધાસંગ આંગળી થી નચાવતો

એજ આંગળીએ તુજ પાછો ગોર્વધન ઉચકાવતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

નારાયણી સેના એક તરફ, એક  નિઃશસ્ત્ર તુ એકલો

ભિષ્મ ની પત રાખવા, કૃરુક્ષેત્રમાં તુજ શસ્ત્ર ઉપાડતો

સમજાય  તો  બહુ  સહેલો  તુ  શામળીયા

 કળવો   તને   ખુબ   કઠીન   છે   કાળીયા

 

આ છેલ્લી ટ્રેન છે.

1 ટીકા


કોઈએ આજ સમય ની કલાઈ મરોડી છે. લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

ચાલો મનાવીએ વેલેન્ટાઈન કે રોઝ ડે,  ૨૬મી કે ૧૫મીની અહી કોને પડી છે.

મોહ આંધળો ,અને કર્તવ્ય બુઠા છે,     દુઃશાસન ઉભો થા પાંડવો સુતા છે. 

 કે સભામા ખુદ દ્રોપદિ લુટાવા ખડી છે.  લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

  વાંસળીના સુર હવે ધૈનુ નહી સાંભળે    કે ઈન્જેકશન ભોંકાણા એના  આંસળે 

  એતો બસ કાગળના ડુચા કાજે લડી છે.   લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

 દહીની તો કરીએ હવે કેમ ઉજાણી , પેલી  ગોવાલણે દુધમા રેડ્યા પાણી

ઘડુલા માય ઘીના હવે તો ચરબી જડી છે.   લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

બાળપણ તો બોયુ,જવાની રહી ક્યા હસ્તક,  જીંદગીની ડેલીએ બુઢાપે દિધા દસ્તક

સુરજ આથમ્યો સમયની સાંકળ ખખડી છે.  લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

દેવળ નો ડંકો વાગ્યો મસ્જિદે  બાંગ પુકારી અવસ્થાના અશ્વની હવે તો કર સવારી

 કે મંદિરની  ઝાલર  પણ  જણજણી છે.  લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

કેટલાય ખટલા અને આરોપી, કેટલાય સાક્ષી ,કૈદીઓ તમે હવે તો દયો કાનુન ને ફાસી

અદાલત તો છે બહેરી શું ખબર જર્જ કોની હથોડી છે. લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

   દિલનો દરવાજો “ ગમ-એ-દિલ” ક્યા જઈ ખોલીએ આ તો અમથુ મનડુ કલમ થી ચોલીએ

 વિચારના વંટોળને  દુનિયા ક્યા નડી છે. લાગે સે આ છેલ્લી ટ્રેન પણ જરા મોડી છે.

                                                                  રમેશ સરવૈયા (ગમ-એ-દિલ )

Leave a comment



સુરત નો સોનેરી ઇતિહાસા

Leave a comment


ઇ.સ. ૧૨૦૦‌‌—૧૩૦૦ > તેરમી સદી પહેલા તાપી નદી કાઠે એકા નાનુ એવુ

                               ગામ વિસ્તાર આશરે   ૨૫,કિલોમીટર

ઇ.સ. ૧૫૪૦-૪૧ >   સુરત ના કિલ્લાનુ બાઁધકામ થયુ

ઇ.સ. ૧૫૫૩ > અકબર બાદશાહે  સુરતની મુલાકાતા લીધી

” बे-असर नही थे हम “

Leave a comment


” बे-असर नही थे हम “
आपने कभी लबो से ईनकार न कीया
वरना ईतने सितमगर नही थे हम

              भटकते रहे युही यादोकी दास्ता लीए
              साथ अपने मंजीलेकारवा रास्ता लीए
            तलाश मे खुदकी कोई मुसाफर नही थे हम

  सो सो बार आये हम उनकी निगाह मे
यकीनन कुच तो फर्क है उनकी चाह मे
या तो वो कम देखते हे वरना किधर नही थे हम

                                

                            नझ्म निकली गजल गुजरी गीत गुनगुनाया
                            फिर भी दिलोकी महेफिल मे सन्नाटा रहा छाया
                             क्यु ? गम-ए-दिल इतने तो बे-असर नही थे हम

બિચારા બિલાડી ના બચ્ચા (સત્ય ઘટના )

Leave a comment


થોડા સમયથી એક બિલાડી ની અમારા ઘરમા આવન,જાવન શરુ થઈ મને ક્મને અમે તેને આવવા દેતા  ક્યારેક અમે એને દુધ પાઇએ ક્યારેક તે પીય જાય આમ થોડા સમય  ચાલ્યુ

ત્યા ખબર પડી કે એને તો બચ્ચા થવાના છે

અને ખરેખર થોડાજ દિવસમા એક ભુરિયુ અને બે કાળીયા એમ સરસ મજાના ત્રણ બચ્ચાને જન્મ આપ્યો .

ફુલ જેવા  બસ જોયા જ કરીએ જોયા જ કરીએ એક પળ વાર પણ નજર સામેથી હટાવવા ન ગમે એવા સુંદર લોકો કહે છે કે બિલાડી સાત ઘર ફેરવે ત્યારેજ બચ્ચાની આંખો ઉઘડે પરંતુ સાત ઘર તો શુ સાત ફુટ  પણ ન ફેરવ્યા અને થોડા દિવસમા જ બચ્ચાઓ ની આંખો ખુલી ગઈ અને તેની માં સાથે ખુબજ ગેલ કરવા લાગ્યા

હવે તો એને જોવાની ઓર મજા આવતી હતી થોડા દિવસ આમ મસ્તી મા વિત્યા અને અચાનક એક દિવસ એ ન દેખાણી એના અને અમારા પરિવારે  ખુબ રાહ જોઈ પણ એ ન જ આવી

અમે શોધખોળ શરૂ કરી તો સમાચાર મળ્યા કે રસ્તા ઉપર એક બિલાડીનો અકસ્માત થયો હતો અને તે મૃત્યુ પામી હતી

જઈને જોયુ તો એજ હતી

રસ્તા પર આવા તો કેટલાય કુતરા,બિલાડા,કે બીજા જાનવરો ને પડેલા જોયા છે. પરંતુ આ દ્રષ્ય હદયને  હચમચાવી ગયુ હવે શું થશે એ નાના બચ્ચાઓનુ હજુ તો માંડ ચાલતા શીખ્યા છે

કેમ મોટા થશે એ હવે મા વિના  કે  જનની ની જોડ સખી નહી જડે રે લોલ….

બચ્ચાઓ એ તો  સર્વસ્વ ગુમાવ્યુ અમને પણ કોઈ સ્વજન ગુમાવ્યા જેટલુ જ દુઃખ થયુ.

અને શબ્દો સરી પડ્યા

દુધે  નવરાવી રોજ  તમને  ઘીમા જમાડ્શું  

તોય  બચ્ચાઓ તમ  માતની  તોલે  આવશુ

આભ તુટ્યો ને પગ તળે થી ફસકી ધરા સારી

બચ્ચાઓ  શાંત  થાવો આવશે માત તમારી

લાખ લાખ કરી જતન ,તમો ને પંપાળશું

તોય  બચ્ચાઓ તમ  માતની  તોલે  આવશું

નાચી કુદી થનગની, કોણ હેત હવે કરશે

નિર્દોશ ચેહરો જોવા ભવે મળશે

સ્નેહના ફુલો પાથરી, હેતે હાલરડા ગાઇશું

તોય બચ્ચાઓ તમ માતની તોલે આવશું

ક્યારેક વજ્ર જેવાય આઘાતો સહન કરતુ

ને ક્યારેક દિલ અમથુ અમથુ રૂદન કરતુ

વ્હાલથી ફેરવી હાથ,અને હૈયા થી ચાપશું

  તોય બચ્ચાઓ તમ માતની તોલે આવશું

થાય આજ એક પ્રાણી કાજે, એટલી શે અનુકંપા

કે આંખડી ભીંજાણી દિલમાં ઉઠ્યા વમળે અજંપા

લાખ ઉપાયે ગમેદિલ જનની ની જોડ ક્યાથી લાવશું

તોય બચ્ચાઓ અમે તમ માતની તોલે આવશું

                                                             રમેશ સરવૈયા

એક ન જન્મેલી બાળકીની વ્યથા

Leave a comment


  બાપુ મને એકવાર તો,તમારી દુનિયામાં આવવા દો

  મારે જોવી છે અનેરી દુનિયા ગીત અનોખુ ગાવા દો
                                

 હશે સોનોગ્રાફિ મશીનો ને કેવા ગર્ભપાતના કારખાના
 મારે જોવુ છે કયા લઈ જાય અમ ભ્રણને એ ભારખાના

 બાપુ આજ એકવાર તો, મારી માં ની મરજી થાવા દો.

  બાપુ મને એકવાર તો,તમારી દુનિયામાં આવવા દો

  મારે જોવી છે મુજ માત ની એ અમી ભરેલી આંખડી
   મારે જોવી છે મુજ ભયલાને હાથ એ બાંધેલી રાંખડી
   બસ થોડુ તમ આંગણમા ઢીગલી,પોતીયા રમવા દો.
   બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.

       ચિંતા ન કરો તમારી મિલ્ક્તમાં ભાગ નય માંગુ
       મુજ ભયલા થી તો કદાપિ જ વ્હાલી નય લાગુ.
       અલુણામાં ગોરમાને પાંચે આંગળીએ પુજવા દો
        બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.

 કરિયાવર મા કંઇ ન જોઇએ દેજો ભોળે ધરમે
  હાલક ડોલક જીવી જઈશ આ જીંદગી મારા કરમે
  ખંભે તમારા માથું મુકી, બે આંસુ પાનેતરમાં લુછવા દો
   બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.
      પુરૂષ પ્રધાન આ જગમાં તુ ધારે તો આ થાય
     પછી જોઈલે શે હાથ અડાડે મુજને કોઈ કસાઇ
      આજ મને પણ મારી તાકત અજમાવવા દો.
      બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.

દ્રોપદી ના તો ચિર ખેચ્યા અને સીતાને સળગાવી
રૂઢિ ચુચ્ત જમાના ની હજી સાન ઠેકાણે ન આવી
છે ગમે-દિલ કિનારે ડુબવાનુ,અમથો સાગર તરવા દો.

બાપુ એકવાર મને તમારી દુનિયામાં આવવા દો.

                                                     રમેશ સરવૈયા (ગમે ઍ દિલ )

શ્રધ્ધાંજલિના સુમન જલિયાવાલાબાગ

1 ટીકા


  • ૧૩ એપ્રિલ ૧૯૧૯ જલિયાવાલા હત્યાકાંડ

કરે  છે  શહિદોને દુરથી નત મસ્તકે નમન

ને અશ્રું ભરી આંખે શ્રધ્ધાંજલિના અર્પે સુમન

જલિયાવાલા બાગમા તો શું વિશ્વમા ન ડાયર પાકજો

દિલમા તમારા દોસ્તો યાદ ક્રાંતિ ની ફાયર  રાખજો.

નહી તો ઉજડશે આ મહેકતે હુવે  ગુલશન

ને અશ્રું ભરી આંખે શ્રધ્ધાંજલિના અર્પે સુમન

ગોળીઓના નિશાન આજે પણ  દેખાય છે

ને ક્યારેક દેશમા ડાયર પણ નજરે થાય છે

એ ડાયર ને ડામવા કોઈ તો બાંધશે કફન

ને અશ્રું ભરી આંખે શ્રધ્ધાંજલિના અર્પે સુમન

જેણે માં ભોમ કાજે લીલા બલિદાનો દીધા

મોત ની બાહુમા  ઈન્કલાબ ના સ્લોગનો કીધા

એ શહિદોને હોજો ગમે-દિલ લાખ લાખે નમન

ને અશ્રું ભરી આંખે શ્રધ્ધાંજલિના અર્પે સુમન

રમેશ સરવૈયા (ગમે-દિલ )

Older Entries